
મારા લાડકવાયા સ્વ. વિશાલ ને દશમી પૂણ્ય તિથિ એ *અશ્રુભિની શ્રધ્ધાંજલી*
મારા લાડકવાયા કાળજાના કટકા એવા સ્વ. દિકરા ” વિશાલ” (BBA/PG DIPLOMA IN JOURNALISM /MHRD) ની આજે દશમી પૂણ્ય તિથી એ અશ્રુભિની આંખોએ
શ્રધ્ધાંજલી – શ્રધ્ધા સુમન અર્પણ..????
@
પ્રકાશ દેસાઈ તથા સમગ્ર પરિવાર.. ????
????????????????????????????????????????????????????????????
*ઓ નિલ ગગનના પંખેરુ, મને તારી યાદ સતાવે… તુ શાનો પાછો આવે.. ઓ નિલ ગગનના પંખેરું…*
આજનો દિવસ એટલે …
“વધારે પડતી ભલમનસાઈ આફતને નોતરે”
એ કહેવત મુજબ.. મુલવી ન શકાય એવા દામ વસૂલીને જિંદગીના બરાબરના પાઠ ભણાવનારો દિવસ..
6 ઓકટોબર, એટલે મારા જીવનનો સૌથી કારમો દિવસ.. ઉચ્ચ સંસ્કાર સાથે પરોપકારી અને ધર્મ અને કર્મને વરેલ મારા દેવ સમાન દિકરાના જીવન પથનો અંતિમ દિવસ. મને જીવતા જીવ, જીવતી લાશ બનાવી દેનાર કાળમુખો દિવસ…
મારા દિકરાની કારમી વિદાય પછી આજ પર્યંત એક પણ રાત કે દિવસ એવા નથી ગયા કે આંખોમાંથી અશ્રુ સુકાયા હોય.. મારી દિકરાના વિરહની વેદના ને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.. ????????????
બાપ હંમેશા દિકરાની કાંધ ઉપર અંતિમ યાત્રા એ જાય, એને બદલે એક યુવાન દિકરાને બાપે કાંધ મારવી પડે ત્યારે ભગવાન પરથી પણ ભરોસો ઉઠી જાય..!!!
આજથી બરાબર દશ વર્ષ પહેલાં, એટલે કે તા.6/10/2014નો દિવસ, મારા દિકરાના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો હતો.. આજે મારા દિકરાની દશમી પૂણ્યતિથી છે.. ભગવાન મારા લાડકવાયા કાળજાના કટકા એવા દિકરા સ્વ. “વિશાલ”ના આત્માને જ્યાં જે સ્વરૂપે હોય ત્યાં પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના. ????
????ॐ શાંતિ.. શાંતિ.. શાંતિ..!!????

Author: SPP BHARAT NEWS

4 thoughts on “મારા લાડકવાયા સ્વ. વિશાલ ને દશમી પૂણ્ય તિથિ એ *અશ્રુભિની શ્રધ્ધાંજલી*”
पूरे परिवार को नवरात्रि की मंगलमय शुभकामनाएं
घनश्याम
Thanks & same to you
આજે પણ એજ સ્મૃતિ સાથે દેસાઈ સાહેબ પોતાના પુત્ર ને માટે લાગણી વ્યક્ત કરતા હોય છે તે મે જાતે જોયું છે.
ધન્ય છે દેસાઈ સાહેબ અને સ્વ. વિશાલભાઈ ના પ્રેમ ને.
Thanks